Mitram News
તાજા સમાચારપાટણ

સુજલામ સુફલામ કેનાલ મારફતે કમલીવાડાની સાઇફન દ્વારા પાટણની સરસ્વતી નદી માં પાણી છોડવામાં આવ્યું

ધારાસભ્યની રજૂઆતના પગલે સરકારે પાણી છોડવાનો નિર્ણય લેતા ખેડૂતોમાં ખુશી

પાટણ ના ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પત્ર લખી ધરોઈ ડેમ અને નર્મદા ડેમના પાણી સુજલામ સુફલામ કેનાલ દ્વારા કમલીવાડા નજીક ની સાઇફન મારફતે પાટણ ની સરસ્વતી નદી માં તેમજ જિલ્લા ની અન્ય નદીઓ માં છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત ના પગલે ગુજરાત સરકારે યોગ્ય નિર્ણય લઇ નર્મદા ડેમ અને ધરોઈ ડેમ ના ઓવરફ્લો પાણી ને સુજલામ સુફલામ મારફતે પાટણ ની સરસ્વતી નદી માં છોડવાની પ્રક્રિયા હાથ ધરી છે.

પાટણ ની સરસ્વતી નદી માં સુજલામ સુફલામ કેનાલ કમલીવાડા સાયફનમાં થી પાણી છોડવા માં આવ્યું છે. હાલ મા ધીમી ગતિએ પાણી સરસ્વતી નદી તરફ આવી રહ્યું હોવા નું જાણવા મળ્યું છે જેનાં કારણે ટુંક સમય માં પાટણ ની સરસ્વતી નદી પણ વહેતી થશે તેવી લોકો માં આશા બંધાઈ છે તો સરસ્વતી નદી માં ધીમી ગતિ એ પાણી આવી રહ્યું હોવા નું જાણી નદી આજુ બાજુ ના ખેતરો ના ખેડૂતો માં આનંદ ની લહેર પ્રસરી છે.

Related posts

ટ્રેનમાં બેસીને ખાવાની મજા, પશ્ચિમ બંગાળના ન્યુ જલપાઈગુડી સ્ટેશન પર રેલ કોચ રેસ્ટોરન્ટ બનાવવામાં આવી…

mitramnews

વર્ષ 2017માં ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ

mitramnews

વેસુમાં રખડતાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો, એક કર્મચારી ઘવાયો

mitramnews

Leave a Comment