Mitram News
અમદાવાદગાંધીનગરતાજા સમાચારમુખ્ય સમાચારમેહસાણા

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની વધી મુશ્કેલીઓ, જાણો કોર્ટમાં શું થઈ સુનાવણી

રાજનૈતિક કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ થયો હોવાની હાઇકોર્ટમાં અરજી કરી હતી.

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની જામીન અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેતા તેમની મુશ્કેલીઓ વધી છે. હાઈકોર્ટમાં આજે સુનાવણી થતા જામીન અરજી હાઈકોર્ટમાં કોર્ટમાં ફગાવવામાં આવી.

320 કરોડની છેતરપિંડીના કેસમાં મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીની સાથે તેમના સીએ એવા શૈલેષ પરીખ સામે પણ ગુન્હો નોંધાયો હતો.

હાલ જેલમાં બંધ શૈલેષ પરીખને મોટી રાહત આપતાં હાઈકોર્ટે શૈલેષ પરીખની જામીન અરજી મંજુર કરી દીધી છે પરંતુ રાજનૈતિક કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ થયો હોવાની હાઇકોર્ટમાં અરજી થતા આ જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. 

નિયમિત જામીન મેળવવા વિપુલ ચૌધરીને હાઈકોર્ટમાં જામીન માટે નિયમિત અરજી કરી હતી. વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાનો પણ તેમણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો.

વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરાયેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ તેમણેટ કોર્ટમાં કરાયેલી જામીન અરજીની અંદર રજૂઆત કરી હતી પરંતુ નિયમિત જામીન પર મુક્ત કરવામાં આવે તેવી વિપુલ ચૌધરીની માંગણીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.  જેથી મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ વધી છે.   

Related posts

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદે કારણે શહેરો પાણીમાં ગરકાવ થયા

mitramnews

સૌથી વધુ નુકશાન થયું છે તેવા નર્મદા જિલ્લામાં કુલ ૩૪ જેટલી સર્વેક્ષણ ટીમોએ યુદ્ધના ધોરણે નુકશાન સામે સર્વેનો પ્રારંભ કર્યો

mitramnews

રાજકોટની તરુણીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમ સામે નોંધાવી ફરિયાદ

mitramnews

Leave a Comment