Mitram News
તાજા સમાચારમુખ્ય સમાચારરમત ગમતરાજકીયસતર્ક મિત્રમસમાજ મિત્રમ

બ્રિજ ભૂષણને મોટો ફટકો, નેશનલ ચેમ્પિયનશિપનો ઘણા ખેલાડીઓએ કર્યો બહિષ્કાર, જઈ રહ્યા છે જંતર-મંતર

ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે હવે ઘણા ખેલાડીઓએ મોરચો ખોલ્યો છે. તેમાં એવા ખેલાડીઓ પણ છે જેઓ ગોંડાના નંદિની નગરમાં રેસલિંગ સ્ટેડિયમમાં નેશનલ ચેમ્પિયનશિપ રમવા ગયા છે. હરિયાણા અને હિમાચલ પ્રદેશના ઘણા ખેલાડીઓ મેચ રમ્યા જ વિના પરત ફરી રહ્યા છે.

અડધો ડઝનથી વધુ ખેલાડીઓ મેચ રમ્યા વિના જ પાછા ફરી રહ્યા છે. આ ખેલાડીઓનું કહેવું છે કે અમે સ્વેચ્છાએ મેચ નથી રમી રહ્યા, અમે દિલ્હીના જંતર-મંતર પર બેઠેલા ભાઈ-બહેનોના સમર્થનમાં રમ્યા વિના પાછા જઈ રહ્યા છીએ, અમે પહેલા જંતર-મંતર જઈશું અને પછી ઘરે જઈશું. ઉલ્લેખનીય છે કે, શનિવારથી નંદિની નગરમાં નેશનલ ચેમ્પિયનશિપ સ્પર્ધા છે.

આ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્ર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોના ખેલાડીઓ આવ્યા છે.

ખેલાડીઓએ જણાવ્યું હતું કે આ મીટમાં હરિયાણામાંથી સૌથી વધુ ખેલાડીઓ આવે છે, પરંતુ જે રીતે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તે જોતા ખેલાડીઓ આ મીટમાં ભાગ લેવા માંગતા નથી, અગાઉ હરિયાણા-પંજાબ-હિમાચલના લગભગ 5000 ખેલાડીઓ આવતા હતા, પરંતુ આ વખતે માત્ર 1200 ખેલાડીઓ જ આવ્યા છે, તેઓ પણ હવે પાછા જઈ રહ્યા છે.

જંતર-મંતર ખાતે આજે પણ ખેલાડીઓના ધરણા ચાલુ 
આજે પણ દિલ્હીના જંતર-મંતર પર કંઈ બદલાયું નથી. આજે પણ 10 વાગ્યા સુધીમાં જંતર-મંતર ખાતે ખેલાડીઓ એકઠા થવા લાગ્યા હતા. કુસ્તીબાજો ધરણા પર બેસી ગયા. એવું લાગી રહ્યું છે કે કુસ્તી ખેલાડીઓની આ લડાઈ લંબાવાની છે, કારણ કે કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ રાજીનામું આપવા તૈયાર નથી.

ખેલ મંત્રાલયના રેડ સિગ્નલની બ્રિજભૂષણ શરણ સિંહ પર કોઈ ખાસ અસર હોય તેવું લાગતું નથી. કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે ગત મધરાત સુધી ખેલાડીઓની બેઠક ચાલી પણ કોઈ પરિણામ આવ્યું નથી. બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પીછેહઠ કરવા તૈયાર નથી અને કુસ્તી ખેલાડીઓ તેમના અધિકારોની આ લડાઈમાં હાર માનવા તૈયાર નથી.

બ્રિજભૂષણ શરણ સિંહ રાજીનામું આપવા માંગતા નથી
બ્રિજભૂષણ શરણ સિંહ જે સ્ટાઈલથી રાજનીતિ કરી રહ્યા છે, તે જ સ્ટાઈલ આ નવા કુસ્તીના અખાડામાં પણ જાળવી રાખવામાં આવી છે. બ્રિજ ભૂષણ આસાનીથી ઝૂકવાના નથી. ખેલ મંત્રાલય ઈચ્છે છે કે બ્રિજ ભૂષણ રાજીનામું આપે, પરંતુ બ્રિજ ભૂષણે ના પાડી દીધી છે. રમતગમત મંત્રાલય તપાસ સમિતિ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ બ્રિજ ભૂષણે 22 જાન્યુઆરીએ કુસ્તી સંઘની બેઠક બોલાવી છે.

બ્રિજ ભૂષણ એ બધું કરી રહ્યા છે જે કોઈ પણ નેતા આવી સ્થિતિમાં કરે. ‘હું તપાસ માટે તૈયાર છું, જે પણ થાય… હું નિર્દોષ છું… મને ફસાવવામાં આવી રહ્યો છે… મારી વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે… હું પાર્ટીનો વફાદાર છું…’ તેમણે કહ્યું હું રાજીનામું આપીશ નહીં.

Related posts

દાદીમાના નુસ્ખા: હેલ્ધી હાર્ટ માટે આ 3 સુપરફૂડ ખાઓ, 40 પછી પણ નહીં થાય હ્રદય રોગ….

mitramnews

પૂર્વ મંત્રી દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામ પર હાઈકોર્ટે લાલ આંખ કરાતા દુકાનો સીલ

mitramnews

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ‘નૈતિક’એ અલગ થયા બાદ પત્ની પર લગાવ્યો સૌથી ગંભીર આરોપ, કહ્યું- જે ભાઈને રાખડી બાંધતી હતી તેની સાથે જ…

mitramnews

Leave a Comment