Mitram News
તાજા સમાચારદાહોદમુખ્ય સમાચારરાજકીયશિક્ષણ મિત્રમસમાજ મિત્રમ

વાત છે જેનો મતાધિકાર નથી એવા વિદ્યાર્થીઓ માટે 2018માં “પરીક્ષા પે ચર્ચા ” કાર્યક્રમ શરૂ કર્યો તેની.

દેશના યસસવી વડાપ્રધાન જ્યારે ટીવી ઉપર આવે ત્યારે જન્મ થી માંડી મતાધિકાર ઉપર વક્તવ્ય આપતા હોય છે પણ આ વાત છે જેનો મતાધિકાર નથી એવા વિદ્યાર્થીઓ માટે 2018માં “પરીક્ષા પે ચર્ચા ” કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેનો મૂળ હેતુ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જાય એ પછી પ્રાથમિક હોય કે બોર્ડ હોય તે વખતે વિદ્યાર્થી ડિપ્રેશનમા ના રહે પરીક્ષા ના નામ થી ગભરાય નહિ અને વિના ડરે તે ખુશનુમાં વાતાવરણમાં પરીક્ષા આપવા જાય જેથી તે વિદ્યાર્થી પોતાનું ધાર્યા કરતા સારું પરિણામ લાવી શકે. 

27 મી તારીખે મન કી બાત નો કાર્યક્રમ જેમાં પરીક્ષા પે ચર્ચા ઉપર પ્રધાનમંત્રી બોલવાના છે અને આ કાર્યક્રમ 500 વિદ્યાર્થીઓ સાથે દાહોદ જિલ્લાના દરેક મંડલમાં કરવાનો છે. રેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ નું વિતરણ કરવામાં આવનાર છે તેવું લીમખેડા મંડલ ના સરદારસિંહ એ આ સમગ્ર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલીયર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહામંત્રી નરેન્દ્ર સોની અને સ્નેહલ ધરિયા , અને ડેટા મેનેજમેન્ટ મધ્ય ઝોનના ઇન્ચાર્જ ચિરાગ શાહ દાહોદ ગોધરાથી આવ્યા હતા અને દાહોદ જિલ્લા ડેટા મેનેજમેન્ટ ના ઇન્ચાર્જ દીપેશ લાલપુરવાળા તેમજ દાહોદ ના દરેક વિધાનસભા મંડલમાંથી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આવતીકાલે હનુમાન જયંતી નિમિત્તે ગૃહ વિભાગ એલર્ટ, જિલ્લાના એસપી સાથે વીડિયો કોન્ફરન્સ

mitramnews

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કલાયમેટ જેવા વિષય પર સેમિનારનું આયોજન

mitramnews

મારુતિની આ કાર પર કસ્ટમર થયા ફિદા, તાબડતોબ મળ્યા 75000 થી વધુ બુકિંગ

mitramnews

Leave a Comment